થયાં છે !


કેટલાક એવા ય સરવાળા થયાં છે
ફૂલ ઓથે શૂળ રૂપાળા થયાં  છે !

એ અલગ છે કે નથી કંઈ યાદ રાખ્યું
તોય ઝખ્મો હર પળે આળા થયાં છે !

ભૂલ થઈગઈ લાગણીશીલ થવાનીં
ત્યારથી,આ લોહીઉકાળા થયાં છે !

જે હતી,છે એ જ આખી વાત કેવળ
પાત્રવરણીમાં જ ગોટાળા થયાં છે !

કંઈક છે,જે આપે છે હૂંફ નિરંતર
એટલે આ શ્વાસ હૂફાળા થયાં છે !

કેટલા દીવા મથીને ઓલવાયા
તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?

રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !

ડો.મહેશ રાવલ

નવેસર/૬૫

5 Responses to “થયાં છે !”

  1. કેટલા દીવા મથીને ઓલવાયા
    તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?

    રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
    આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !

    સુંદર…મહેશભાઈ.

  2. કેટલા દીવા મથીને ઓલવાયા
    તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?

    રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
    આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !

    - આ બે શેર મનભરીને પીવા જેવા થયા છે, મહેશભાઈ…

  3. સુરેશ જાની Says:

    ભૂલ થઈગઈ લાગણીશીલ થવાનીં
    ત્યારથી,આ લોહીઉકાળા થયાં છે !

    સંવેદનશીલતાની બહુ જ સરસ અભીવ્યક્તી. સંવેદનશીલતા વીશે મારું અવલોકન ગમશે -
    http://gadyasoor.wordpress.com/2008/05/28/surface_sw_pool/

  4. jugalkishor Says:

    રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
    આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !

    મને તો આખી ગઝલ ગમી પણ આ બે પંક્તીઓ તો ખાસમ્ ખાસ !
    કુશળ હશો.

  5. jugalkishor Says:

    યાદ આવે છે આ પંક્તીઓ ? –

    અનુભવના ઉઝરડા છે લલાટે,
    જગત સમજે છે રેખાઓ વદનની
    –અનિલ.

Leave a Reply